જીવનના તમામ ક્ષેત્રના લોકો જોખમો અને અણધારી ઘટનાઓ સામે સુરક્ષિત રહેવા માટે સામાન્ય રીતે જીવન, ઘર અને વાહન ઇન્શ્યોરન્સ મેળવે છે. તેના વિપરીત, હોમ ઇન્શ્યોરન્સને ઘણા, ખાસ કરીને ભારતીય ઘરો, દ્વારા બિનજરૂરી માનવામાં આવે છે. જો કે, ભૂકંપને કવર કરતો હોમ ઇન્શ્યોરન્સ આવશ્યક છે, ખાસ કરીને એવા પ્રદેશોમાં કે જેઓ આ કુદરતી આફતો માટે સંવેદનશીલ હોય છે. ભૂકંપ માત્ર ઘરના માળખાને જ પ્રતિકૂળ અસર નથી કરી શકતા, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે ભૂકંપની તીવ્રતા અથવા તીવ્રતાના આધારે ત્યાં આવેલા ઘર/એપાર્ટમેન્ટ/ફ્લેટને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે..
ભારત એક એવો દેશ છે જે મોટા ભૂકંપની સંભાવના ધરાવે છે. 2001 માં, ભૂજમાં કેંદ્રબિંદુ ધરાવતો ભૂકંપ ભારતીય ઇતિહાસમાં સૌથી વિનાશક ભૂકંપમાંથી એક હતો, જેણે પશ્ચિમી ભારત અને ઉત્તર ભારતના ભાગોને હચમચાવી નાંખ્યા હતા. આવા ભૂકંપથી થતા નુકસાનથી જાન-માલનું ભારે નુકસાન થઈ શકે છે. તેથી, ભૂકંપ કવરેજ સાથે હોમ ઇન્શ્યોરન્સ ખરીદવાનો ખર્ચ ભૂકંપ આવવાના કિસ્સામાં ઘરને ફરીથી બનાવવાના ખર્ચ કરતાં નોંધપાત્ર રીતે ઓછો હોય છે.
ભારતમાં 4 ભૂકંપ સંભવિત ક્ષેત્રોને જે તે વિસ્તારમાં ભૂકંપના નિયમિત આવર્તન અને તીવ્રતા આધારે ચિહ્નિત કરવામાં આવે છે.
ઘરનું માળખું અને સામગ્રીનું કવરેજ
ઘરની અંદરની મૂલ્યવાન વસ્તુઓના નુકસાન સામે કવરેજ
ભૂકંપ પછી આવતા કોઈપણ પૂરના પરિણામે થતા નુકસાનને કવર કરવામાં આવતું નથી
પૉલિસી મુજબ કોઈપણ લાગુ પડતા કપાતપાત્રો બાકાત રાખવામાં આવ્યા છે
આવકનું નુકસાન અથવા કોઈપણ પ્રકારના પરોક્ષ નુકસાનને કવર કરવામાં આવતું નથી
આર્કિટેક્ટ, સર્વેક્ષક અથવા કન્સલ્ટિંગ એન્જિનિયરની ફી (3% ક્લેઇમની રકમથી વધુ) કવર કરવામાં આવશે નહીં
પૉલિસીમાં કાટમાળને હટાવવાનો ખર્ચ કવર કરવામાં આવશે નહીં
ભાડાનું નુકસાન કવર કરવામાં આવતું નથી
વૈકલ્પિક આવાસના ભાડાને કારણે થતો અતિરિક્ત ખર્ચ શામેલ નથી
ઇન્શ્યોરન્સ સમયગાળાની બહાર થતા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવતું નથી
ભૂકંપ મુખ્યત્વે ભૂસ્તરીય પ્લેટો અથવા પૃથ્વીના ભૂ-પૃષ્ઠમાં રહેલ ખામી પર દબાણના અચાનક મુક્ત થવાથી થાય છે. આ દબાણ ભૂસ્તરીય પ્લેટોની હિલચાલને કારણે નિર્માણ પામે છે અને તે અચાનક આંચકો લાગે તેવી હિલચાલમાં મુક્ત થાય છે, જેને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. દેશના ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર તેમજ સંપૂર્ણ હિમાલય પટ્ટો 8.0 કરતાં વધુ તીવ્રતાના મોટા ભૂકંપ માટે સંવેદનશીલ છે. ભારતીય પ્લેટની યુરેઝિયન પ્લેટ તરફ દર વર્ષે લગભગ 50 mmના દરે હિલચાલ એ આ પ્રદેશોમાં ભૂકંપનું મુખ્ય કારણ છે
હિમાલય પ્રદેશ અને ભારતીય-ગંગાના મેદાનો ઉપરાંત, દ્વીપકલ્પીય ભારત પણ જોખમી ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ છે. ઐતિહાસિક અહેવાલો મુજબ, ભારતના 50% કરતાં વધુ વિસ્તાર ખતરનાક ભૂકંપ માટે સંવેદનશીલ છે. રિક્ટર સ્કેલ પર 6.0 કરતાં વધુ તીવ્રતાવાળા ભૂકંપને એક તીવ્ર ભૂકંપ માનવામાં આવે છે, જે જીવન અને સંપત્તિને મોટી હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
#1.5+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
સરળ અને અતિ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ